
ધંધાનું મેનેજમેન્ટ નેક્ષ્ટ જનરેશનને સોંપવું અનિવાર્ય છે?
બિઝનેસ જગતમાં એક પ્રચલિત માન્યતા છે કે વેપારીના સંતાનોના તો લોહીમાં જ વેપાર હોય છે. એક પેઢીએ જે વટવૃક્ષ રોપ્યું હોય, તેને નવી પેઢી પોતાની સૂઝબૂઝથી એને નંદનવન બનાવશે જ એવી અપેક્ષા રાખવામાં આવે છે. આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે જ્યાં સંતાનોએ પિતાના ₹100 કરોડના ધંધાને ₹10,000 કરોડ કે એનાથી પણ વધુ મોટા સામ્રાજ્યમાં…
