Close
Sanjay Shah, SME Business Coach

સંઘર્ષ એટલે એક અદ્રશ્ય આશીર્વાદ

બિઝનેસ અને જીવનના ક્ષેત્રમાં લોકોની કરિયરનો અભ્યાસ કરીએ તો સમજાય છે કે અસલ તેજ તો એ જ રત્નોમાં હોય છે જે સમયના ઘર્ષણમાંથી પસાર થયા હોય. જેમના જીવનના પાયામાં સંઘર્ષની તપી ગયેલી ઈંટો મુકાઈ હોય, તેઓ ખરેખર ભાગ્યશાળી હોય છે. દુનિયા ભલે ઝળહળતી ઈમારતની પ્રશંસા કરે, પણ તેની મજબૂતી તો જમીનની નીચે દટાયેલા એ પથ્થરો…

Sanjay Shah - SME Business Coach

“સ્કેલિંગ-અપ”: ધંધાર્થીની આંતરિક સાધનાનું પરિણામ

“સ્કેલિંગ-અપ”: ધંધાર્થીની આંતરિક સાધનાનું પરિણામ જ્યારે કોઈ ધંધો સામાન્ય સીમાડાઓ ઓળંગીને અસાધારણ સફળતાના શિખરો સર કરે છે, ત્યારે તેની પાછળ માત્ર જબરદસ્ત સ્ટ્રેટેજીનું દિમાગ જ નથી હોતું, પણ તેના સૂત્રધારના વ્યક્તિત્વની સુગંધ પણ સામેલ હોય છે. સ્કેલિંગ-અપ એ માત્ર આંકડાકીય વૃદ્ધિ નથી હોતી, પરંતુ તેના લીડરના વ્યક્તિત્વનું વિસ્તરણ પણ હોય જ છે. કોઈપણ ધંધાને નેક્ષ્ટ…

Gujarati Blog of Sanjay Shah SME Business Coach

ધ્યાનના દુકાળ અને માહિતીના પૂર વચ્ચે તણખલું બનવું છે કે નાવિક?

આપણે સૌ માહિતી અને મનોરંજનના એક એવા મહાસાગરમાં આવી પહોંચ્યા છીએ, જેની કોઈ સીમા નથી. ઇન્ટરનેટના અફાટ વિશ્વમાં સોશિયલ મીડિયા, પોડકાસ્ટ, વેબસાઇટ્સ અને બ્લોગ્સના અસંખ્ય ટાપુઓ આપણને પોતાની તરફ સતત લલચાવી રહ્યા છે. કોઈ એક જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (પછી એ વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુ-ટ્યુબ હોય) આપણને કલાકો સુધી પોતાની માયાજાળમાં જકડી રાખવા…

SME બિઝનેસ કોચ સંજય શાહનો ગુજરાતી બ્લોગ

આપણા ધંધાને વિકસાવવા માટે આપણા અહમને ઘરે છોડવું પડે

ધંધામાં સફળ થવા માટે માત્ર અમુક જબરદસ્ત આઇડિયા, પરફેક્ટ પ્લાનીંગ, મોટું વિઝન કે કોઇક વિષયમાં એક્ષ્પર્ટ હોવું એટલું પૂરતું નથી. એ બધું હોવા ઉપરાંત આપણા અહમને ક્યારે છોડી દેવો એ સમજણ પણ ધંધાની સફળતા માટે એટલી જ જરૂરી હોય છે. મેં “ધંધાની વાત”માં પહેલાં પણ કહ્યું છે: તમે તમારા અહમ અને તમારા પરિવાર બંનેનું ભરણપોષણ…

તમને શીખવાની કેટલી ભૂખ છે?

સફળ ધંધાર્થીઓ ભૂખ્યા હોય છે. એમને સતત આગળ વધવાની ભૂખ હોય છે. એમની ભૂખ પોતાના ધંધામાં સતત સુધારો કરતા રહેવાની, કંઇકને કંઇક શીખતા રહેવાની હોય છે. મેરીકો લિમિટેડના સ્થાપક અને ચેરમેન હર્ષ મરીવાલાને એમની કંપનીના શરૂઆતના દિવસો વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા મેં સાંભળ્યા. એ દિવસોમાં, કંપની રિટેલરોને પેરેશૂટ નારિયેળ તેલ જથ્થાબંધ પેકમાં વેચતી હતી.…

દરિયાઇ મોજ આપણને શું શીખવી શકે?

ગઇકાલે ઓટના સમયે બીચ પર ગયા ત્યારે દરિયાનું પાણી પાછળ જતું રહેલું. દરિયાની રેતી પર ચાલતાં જોયું કે મારા જેવા અનેકનાં પગલાંનાં નિશાન દરિયાની ભીની રેતી પર પડેલાં હતાં. મધરાતની ભરતી પછી સુંદર, સ્વચ્છ અને સપાટ બનેલો દરિયાનો એ પટ મારા જેવા અનેક લોકોના ચાલવા-દોડવાથી, ક્રિકેટ કે બીજી કોઇ રમત રમવાથી રગદોળાઇ ગયો હતો. અનેક…

મહાન નેતાઓ પોતાની નિષ્ફળતાને વિનમ્રતાથી સ્વીકારે છે

નિષ્ફળતા સ્વીકારવી મુશ્કેલ હોય છે. અને મોટા બિઝનેસ લીડર માટે તો જાહેરમાં પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કરવો અને એની સંપૂર્ણ જવાબદારી લેવી તે વધુ મુશ્કેલ હોય છે. પરંતુ, અમેરિકા સ્થિત અને આખી દુનિયામાં ખૂબ સફળ કાફેની મલ્ટીનેશનલ ચેઈન સ્ટારબક્સના ભૂતપૂર્વ ચેરમેન અને સીઈઓ હાવર્ડ શલ્ટ્ઝ અલગ છે. તેઓ ચાઈનીઝ માર્કેટને ન સમજી શકવા માટે અને ચીનમાં…

Sanjay Shah SME Business Coach Gujarati Blog

આપણા ઓવરકોન્ફીડન્સને વિનમ્રતાની લગામ લગાવીએ

જીવનના અનેક તબક્કાઓમાં આપણને એવું લાગે છે કે હવે મને બધી ખબર પડી ગઇ છે. હવે હું જીવનની ગમે તેવી સમસ્યાઓનો સામનો કરવા સજ્જ છું. હવે કંઇ પણ થશે, તો આઇ કેન હેન્ડલ ઇટ. સ્કૂલની કોઇ પરીક્ષા આપતી વખતે, કોઇક સ્પર્ધામાં ભાગ લેતી વખતે, કોઇક જોબ માટે (કે સંભવિત ભાવિ જીવનસાથી સાથે) ઇન્ટરવ્યૂ વખતે આપણે…

મહાન લોકો કેવી રીતે મહાન બનતા હોય છે?

બોલીવૂડ વિશે જેને જરાક પણ ખબર હોય, એ અમિતાભ બચ્ચનના નામથી અજાણ ન જ હોય. અને જેને એમના વિશે થોડીક ખબર હોય, એ એમની મહાનતાથી પ્રભાવિત થયું ન હોય એ પણ અસંભવ જ છે. પણ “બીગ બી” આવી તોતીંગ પર્સનાલિટી બન્યા કેવી રીતે? ૧૧ ઓક્ટોબર ૨૦૨૨ના “બીગ બી” ૮૦ વર્ષના થયા. ૮૦મા જન્મદિવસે પણ કામમાં…