Close
સુરતમાં શ્રેષ્ઠ બિઝનેસ કન્સલ્ટન્ટ

નેગેટિવ એટીટ્યૂડના માણસોને ટીમમાંથી દૂર કરો…

નેગેટિવ એટીટ્યૂડના માણસોને ટીમમાંથી દૂર કરો
તમારા સ્ટાફ મેમ્બરોમાં અમુક એવા તત્ત્વો હોઇ શકે કે જે નેગેટિવ એટીટ્યૂડ ધરાવતા હોય. આવા લોકો હંમેશાં માલિકો માટે માથાના દુ:ખાવા સમાન હોય છે. તેઓમાં શિસ્તનો અભાવ હોય છે. તેઓ બીજા સ્ટાફ મેમ્બરોને હંમેશાં નડતા જ હોય છે. કસ્ટમરો સાથે પણ તેઓ હંમેશાં કોઇ ને કોઇ મગજમારી કરતા જ હોય. આવી પ્રજાને સાચવી લેવા માટે તમે એમને સમજાવો કે બીજા કોઇ રોલમાં સેટ કરવાની કોશિશો કરો. સામાન્યત: બહુ ફરક નહીં પડે. મોટે ભાગે નેગેટિવ એટીટ્યૂડની બિમારીનો કોઇ ઇલાજ હોતો નથી.
એક કેરી સડી જાય, તો એને દૂર કરવામાં જ ભલું છે. નહીંતર આખી ટોપલી સડશે.
જનરલ્લી, સમજાવવાથી દુ:ખાવા સુધરતા નથી. દવા કરવી પડે. એક્શન લેવું પડશે.
માથાના દુ:ખાવાને જેટલું જલદી દૂર કરશો એટલી શાંતિથી બાકીના બીજાં બધાંય કામ કરી શકશો.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3yWYrYO

Leave a Reply

%d bloggers like this: