Close

બિઝનેસનો વિકાસ કરવો એટલે માઉન્ટ એવરેસ્ટને સર કરવા જેવું છે….

બિઝનેસનો વિકાસ કરવો એટલે માઉન્ટ એવરેસ્ટને સર કરવા જેવું છે. માઉન્ટ એવરેસ્ટની ચડાઇમાં ઊંચે જતાં જતાં દરેક મહત્ત્વના પડાવ પછી આગળ જવાનો વ્યૂહ બદલવાનો હોય છે: ઠંડી વધતી જાય છે, હવામાં ઓક્સિજન ઘટતું જાય છે, તકલિફો, સમસ્યાઓ, ખતરાઓ અને પરિણામોની ગંભીરતા વધતી જાય છે. બિઝનેસનું પણ એવું છે. દરેક પડાવ પર વ્યૂહ બદલે, તો શિખર પર…

નાની મોટી કોઇ પણ કંપનીનો માત્ર એક જ બોસ હોય છે…

નાની મોટી કોઇ પણ કંપનીનો માત્ર એક જ બોસ હોય છે. અને એ બોસ છે, કસ્ટમર. આ બોસ કંપનીમાં માલિકથી પ્યૂન સુધી કોઇને પણ ફાયરીંગ આપી શકે છે, એને ભગાડી શકે છે. એનું ફાયરીંગ એટલે અણગમતી કંપની છોડીને મનગમતી કંપનીમાં પોતાનો બિઝનેસ લઇ જવાનું. કંપનીમાં જો બધા આ એક બોસને ખુશ રાખવા કામ કરે, તો કંપની…

જ્યારે આપણી કંપનીના દરેક મેમ્બરને પોતાનું કામ કોઇ મોટી બાબતના,…

જ્યારે આપણી કંપનીના દરેક મેમ્બરને પોતાનું કામ કોઇ મોટી બાબતના, કોઇ મોટા વિઝનના ભાગ તરીકે દેખાવા મંડે છે, પોતાના કામની કીમત સમજાય છે, ત્યારે આપણું વિઝન જીવંત બને છે, એના સાક્ષાત્કારની શક્યતા વધી જાય છે. તમારા ટીમ મેમ્બરોને તમારી કંપનીના વિઝનથી માહિતગાર કરો. એમને એમાં સામેલ કરો. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3k4F8Xs

માત્ર પૈસા કમાવવા માટે કોઇ ધંધો શરૂ ન કરો…

માત્ર પૈસા કમાવવા માટે કોઇ ધંધો શરૂ ન કરો. કસ્ટમરોને સારી પ્રોડક્ટ કે સેવા આપીને, આપણા કામ મારફતે આ જગતને વધારે સારું બનાવવામાં આપણે કંઇક પ્રદાન કરી શકીએ એવી ઉમદા ભાવના પણ રાખો. ધંધાના અમુક તબક્કે ધાર્યા પ્રમાણે પૈસા ન મળે કે ગુમાવવા પણ પડે. આવા કપરા સમયમાં થાક લાગશે. આવે વખતે, પૈસાથી વિશેષ પણ કોઇક…

નોકરી ધંધામાં નિષ્ફળતાનું કારણ શું હોય છે?…

નોકરી ધંધામાં નિષ્ફળતાનું કારણ શું હોય છે? “જ્યાં સુધી આપણે જે કામ કરીએ છીએ એ કામ આપણને ગમતું નથી, ત્યાં સુધી આપણને સાચી સફળતા હાંસલ નથી થતી.” – ડેલ કારનેગી નોકરી-ધંધામાં નિષ્ફળતાનું એક મુખ્ય કારણ એ જ છે કે કરનારને એ કામ ગમતું નથી હોતું. કામ-ધંધો એવો પસંદ કરો કે જેમાં તમને રૂચિ હોય, જે કરવામાં…

કોઇ પણ ધંધામાં સફળતા માટે ઘણાં નાના-મોટા,…

કોઇ પણ ધંધામાં સફળતા માટે ઘણાં નાના-મોટા, અલગ અલગ લોકોનો સહયોગ જરૂરી હોય છે. કોઇ પણ ધંધો એક જણ દ્વારા મોટો થઇ શકતો નથી. માઇક્રોસોફ્ટના સ્થાપક અને દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક એવા બીલ ગેટ્સનું કહેવું છે: “શરૂઆતથી જ, માઇક્રોસોફ્ટની સફળતાનો આધાર અલગ અલગ પ્રકારની પાર્ટનરશીપ પર રહ્યો છે. બધાંના સહયોગથી જ અમારી કંપની આગળ વધી…

સ્ટાફને ખુશ કેમ રાખી શકાય? શું કરવું જોઇએ?…

સ્ટાફને ખુશ કેમ રાખી શકાય? શું કરવું જોઇએ? માત્ર વધારે પૈસાથી જ એ લોકો ખુશ થશે? માણસની સાથે ‘માણસ’ જેવું વર્તન થાય, તો માણસ ખુશ થાય. માણસ સાથે મશિન જેવું વર્તન થાય, તો માણસ દુ:ખી રહે. હવે જરા વિચારો: દુ:ખી માણસ કસ્ટમરને ખુશ કેમ કરી શકે? વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3y4IcIb

મૈત્રી સંબંધ પર આધારિત ધંધા કરતાં ધંધાના સંબંધો પર આધારિત મૈત્રી વધારે લાંબી ટકે છે….

મૈત્રી સંબંધ પર આધારિત ધંધા કરતાં ધંધાના સંબંધો પર આધારિત મૈત્રી વધારે લાંબી ટકે છે. મિત્રો સાથે ધંધો કરવો સલાહભર્યું નથી. મૈત્રીમાં હિસાબ, ગણતરીઓ નથી હોતી. જ્યારે મિત્ર સાથે ધંધાકીય સંબંધ શરૂ થાય, ત્યારે બધી ગણતરીઓ પિક્ચરમાં આવે છે, જે ઘણીવાર ગેરસમજો ઊભી કરે છે. એને બદલે જેની સાથે ધંધાકીય સંબંધ ઓલરેડી હોય, એની સાથે જો…

માર્કેટીંગ સફળ થયું એમ ક્યારે કહેવાય?…

માર્કેટીંગ સફળ થયું એમ ક્યારે કહેવાય? કસ્ટમરની જરૂરિયાતોને ખૂબ સારી રીતે જાણવી, સમજવી અને એને આપણી પ્રોડક્ટ કે સર્વિસથી એ રીતે સંતુષ્ટ કરવી કે જેથી એ કસ્ટમરની જિંદગીનો ભાગ બની જાય, એ આપોઆપ, વારંવાર ખરીદતો થઇ જાય. જો એને આપણી પ્રોડક્ટ કે સર્વિસ ફરીથી વેચવા માટે દરેક વખતે કોશિશ કરવી પડે, તો માર્કેટીંગમાં ક્યાંક કચાશ…